છત્તીસગઢમાં એન્કાઉન્ટર: સુરક્ષાદળોએ 9 નકસલીઓને ઠાર કર્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan30042024_130427_Naxal 22.webp)
- 30 Apr, 2024
છત્તીસગઢમાં નારાયણપુર અને કાંકેર જિલ્લાની સીમા પર એક જંગલમાં મંગળવારે નકસલીઓ અને જવાનો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ મહિલાઓ સહિત નવ નક્સલીઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્યના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે 15 દિવસમાં સુરક્ષા દળનો નકસલીઓ પર આ બીજો હુમલો છે.
ડેપ્યુટી સીએમ શર્માની પાસે ગૃહ વિભાગ પણ છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે આ રાજ્યમાં નક્સલી વિરોધી અભિયાનમાં મળેલી મોટી સફળતા છે. પોલીસના જણાવ્યા મુજબ આ એન્કાઉન્ટર લગભગ 6 વાગ્યે નક્સલીઓનો ગઢ જેને ગણવામાં આવે છે, તેવા અબુજામાડ વિસ્તારના ટેકમેટા અને કાકુર ગામની વચ્ચે જંગલમાં થઈ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ